Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન

  • October 12, 2023 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સરતાજ સિંહનું 85 વર્ષની ઉંમરે નિધન થઈ ગયુ છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા છે. સરતાજ સિંહ 5 વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા હતા. અટલ બિહારી વાજપેયીની 13 દિવસની સરકારમાં તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલા બાદ સરતાજ સિંહનો પરિવાર ઈટારસીમાં આવીને સ્થાયી થઈ ગયો હતો. પ્રથમ વખત 1971માં સરતાજ સિંહ ઈટારસી નગર પાલિકાના કાર્યવાહક નગર પાલિકા અધ્યક્ષ બન્યા હતા. વર્ષ-2008થી 2016 સુધી તેઓ મધ્ય પ્રદેશ સરકારમાં મંત્રી રહ્યા હતા.



સરતાજ સિંહ 5 વખત સાંસદ અને 2 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. વર્ષ-1989થી 1996ના સમયગાળામાં તેમણે નર્મદાપુરમ સંસદીય બેઠક પરથી સતત ત્રણ વખત રામેશ્વર નીખરાને હરાવ્યા હતા. જ્યારે વર્ષ 1998ની લોકસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસી ઉમેદવાર અર્જૂન સિંહને હરાવ્યા હતા. વર્ષ-2004માં પણ તેમણે લોકસભા ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી હતી. તેઓ બે વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા હતા. વર્ષ-2008માં હોશંગાબાદ જિલ્લાની સિવની માલવા વિધાનસભા વિસ્તારથી ચૂંટણી લડી તેમણે કોંગ્રસ ઉમેદવાર હજારીલાલ રઘુવંશીને હરાવ્યા હતા.



વર્ષ-2013ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ફરી જીત મેળવી અને મંત્રી બન્યા હતા. વર્ષ-2018ની ચૂંટણીમાં સીતાશરણ શર્માથી હારી ગયા હતા. વર્ષ-2018ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસમાં રહીને સરતાજ સિંહે જ્યોતિરાદિત્ય સિંધિયાના પક્ષ બદલવાને યોગ્ય ઠેરવ્યું હતું. તેણે કહ્યું હતું કે, આ નિર્ણયમાં તે સિંધિયાની સાથે છે. તે સમયે એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે, કદાચ સરતાજ સિંહ પણ BJPમાં વાપસી કરશે. જોકે, તેણે તરત જ આવું કર્યું ન હતું. પેટાચૂંટણી બાદ સરતાજ સિંહ ભોપાલના દશેરા મેદાનમાં આયોજિત બીજેપીના કિસાન સંમેલનમાં તેમણે પાર્ટીમાં વાપસી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application