Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં શાહજહાંપુરમાં ભીષણ માર્ગ અકસ્માતમાં દંપતિ સહીત પાંચનાં મોત

  • June 23, 2023 

ઉત્તરપ્રદેશનાં શાહજહાંપુરમાં ભીષણ માર્ગ દુર્ઘટના ઘટી છે. સેહરામઉ દક્ષિણી વિસ્તારનાં દિલાવરપુર ગામ નજીક હરદોઈ-શાહજહાંપુર હાઈવે પર સવારે લગભગ પાંચ વાગે અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી. ઘટનામાં બાઈક સવાર દંપતી સહિત પાંચનાં મોત થઈ ગયા જ્યારે એક બાળકી ઈજાગ્રસ્ત થઈ ગઈ. આ તમામ એક જ બાઈક પર સવાર હતા. હરદોઈનાં શાહાબાદથી ઘરે પાછા ફરી રહ્યા હતા. જૈતીપુર વિસ્તારના ગામ સલેમપુર નિવાસી રઘુવીર, પત્ની જ્યોતિ, પુત્ર કૃષ્ણા અને અભિ, સાળી જૂલી અને તેમની પુત્રી આરાધ્યા સાથે શાહાબાદના દલેલનગર નિવાસી શ્યામ સિંહની પુત્રી ગુડ્ડીના લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા.



જોકે આજરોજ સવારે તમામ લોકો એક જ બાઈક પર સવાર થઈને ઘરે પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન સેહરામઉ દક્ષિણી વિસ્તારમાં અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી દીધી. ઘટનામાં રઘુવીર, જ્યોતિ, કૃષ્ણા, અભિ અને જૂલીનુ મોત નીપજ્યુ જ્યારે જૂલીની પુત્રી આરાધ્યા ઈજાગ્રસ્ત થઈ છે. ગ્રામીણોએ ઘટનાની માહિતી પોલીસને આપી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતકો પાસેથી મળેલા ડોક્યુમેન્ટના આધારે તેમની ઓળખ કરી. ઘટનાની માહિતી મળતા જ રઘુવીર અને જૂલીના પરિવારોમાં હાહાકાર મચી ગયો. ઘટના બાદ હાઈવે પર મોડે સુધી ટ્રાફિક જામ રહ્યો. પોલીસે મૃતદેહોને હટાવીને ટ્રાફિક જામ દૂર કર્યો. આ ભીષણ દુર્ઘટનાને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. બાઈકને કયા વાહને ટક્કર મારી છે, આ વિશે પોલીસ જાણકારી મેળવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application