Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત્તીસગઢનાં દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ : આ અથડામણમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા

  • September 03, 2024 

છત્તીસગઢનાં દંતેવાડા-બીજાપુર જિલ્લાની બોર્ડર પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ મુઠભેડમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે. પોલીસ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, નક્સલવાદીઓની PLGA કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. ઘટનાસ્થળેથી નક્સલીઓના મૃતદેહની સાથે  SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.


ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવાર 3 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુરક્ષા દળો પેટ્રોલિંગ પર નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર ડિવિઝનમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ પહેલા 29 ઑગસ્ટે પણ 'એન્ટી નક્સલ' ઑપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા. ગત ઓગસ્ટમાં સુરક્ષા દળોએ નક્સલ વિરોધી ઑપરેશનમાં ઘણા નક્સલવાદીઓને પકડીને ઠાર કર્યા હતા. ઓગસ્ટની શરૂઆતમાં પણ દંતેવાડા પોલીસને મોટી સફળતા મળી હતી. એન્કાઉન્ટરમાં એક હાર્ડકોર નક્સલી માર્યો ગયો હતો. આ સાથે હથિયારો અને અન્ય વસ્તુઓ પણ મળી આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News