Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમરેલી જિલ્લાનાં ઝર ગામે જમીન પચાવી પાડનાર વ્યાજખોરે ખેડૂતને જમીન પરત કરી, ખેડૂતે ગુજરાત પોલીસનો આભાર માન્યો

  • April 06, 2025 

અમરેલી જિલ્લામાં ધારીના ઝર ગામમા સામાન્ય ખેડૂત પાસેથી 18 વીઘા જમીન 2020માં વ્યાજના પૈસા નહી આપતા એક ડોક્ટરએ પચાવી પાડી હતી. અમરેલી SP સુધી મામલો પોહચતા ગુન્હો નોંધી જમીન પરત અપાવી હતી. ખેડૂત ગુજરાત પોલીસનો આભાર માન્યો અને પોલીસ વડાને પેંડા ખવડાવી મોં મીઠું કરાવ્યું હતું. કારણ કે આ ફળદ્રુપ જમીન કરોડો રૂપિયાની છે. ગુજરાત પોલીસે પ્રથમ વખત જમીન મૂળ માલિકને સોંપાવનો દાખલો બેસાડ્યો છે. અમરેલી જિલ્લામાં ધારી તાલુકાના ઝર ગામના સામાન્ય ખેડૂત જયસુખભાઈ સોલંકી પાસે 18 વીઘા જમીન હતી. કેરીના આંબાનું ઉત્પાદન થાય છે.  2020માં તેમની જમીનમાં ખેતીના કામ માટે એક ડોક્ટર પાસેથી અલગ અલગ સમયે 3 ટકા વ્યાજે 50 લાખ લીધા હતા.


જેમાં આરોપી ડોક્ટર મેથીલ ફળદુ દ્વારા પૈસાની ઉઘરાણી કરતા હતા. આરોપી ડોક્ટરોએ કહ્યું કે, પૈસા આપતા નથી તો જમીન અમારા નામે કરી દો, એમ કહીને ડોક્ટરે બળજબરીપૂર્વક ખેડૂત પાસેથી કુલ 9 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો. ત્યારબાદ ડોક્ટરના ભાઇની અન્ય 9 વીઘા જમીન પર કબજો કરી લીધો અને કહ્યું કે તમે અહીં આવતા નહી. સામાન્ય પરિવારના લોકો ગામ છોડી નીકળી ગયા હતા. ફરિયાદી ખેડૂતે એસપી સંજય ખરાતને રજુઆત કરી. એસપીએ તાત્કાલિક અમરેલી સીટી પોલિસ સ્ટેશનમાં આરોપી ડો.મેથીલભાઈ રમેશભાઈ ફળદુ સામે ગુજરાત નાણાધીર હેઠળમાં વ્યાજખોર અને બળજબરી પૂર્વક પચાવી પાડવાનો ગુન્હો નોંધ્યો હતો. અમરેલીના એસપી સંજય ખરાતે કહ્યું કે 'ફરીયાદીએ પોલીસ પાસે માંગણી કરી અમારી જમીન પરત અપાવો, જમીન તાત્કાલિક મળે તે માટે મદદ માંગી હતી.'


જમીન પચાવી લીધા બાદ ખેડૂત જયસુખભાઈ અને તેમનો પરિવાર અમદાવાદ શહેરમાં નરોડા વિસ્તારમાં ફ્રૂટનો સ્ટોલ લારીઓ કરી સમય પસાર કરતા હતા. વ્યાજખોરોએ ખેડૂત પાસે જમીન પચાવી પાડીને ગામ છોડવાની ફરજ પાડી હતી. પોલીસે આરોપીને જાણ કરી હતી કે, આ કાયદા વિરૂદ્ધનું કૃત્ય છે, તો આરોપીએ જમીન પોતાના પિતાના નામે કરી દીધી હતી. જોકે પોલીસે વ્યાજખોર પાસેથી જમીન પરત લઇને ખેડૂતના નામે દસ્તાવેજ કર્યો હતો. ખેડૂત જયસુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જમીનમાં બાગાયતી ખેતી એટલે કે કેરીના આંબા વાળી જમીન હોય તે અતિ મહત્ત્વની અને કિંમતી માનવામાં આવે છે. અમારી આ જમીન પર 400થી વધુ આંબાના ઝાડ છે અને વાવેતર ચાલુ છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન અમરેલી એસ.પી.એ પરત આપાવી દાખલો બેસાડ્યો છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application