પંચમહાલમાં ડેમમાં ન્હાવા પડેલ પાંચ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાનું સામે આવ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાધોરા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ ઘોઘંબાના શામળકુવા પાસેના ડેમમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન પાંચેય વિદ્યાર્થીઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને પગલે રાજગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પંચમહાલમાં પાધોરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં પાંચ વિદ્યાર્થીઓ શનિવારે ડેમમાં નહાવા ગયા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ ડેમના પાણીમાં ડૂબ્યા હતા. પાંચેય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીને તરતા આવડતું ન હોવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓને તરતા આવડતું હોવાથી તેમનો બચાવ થયો હતો. હોસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ બપોરના સમયે નજીક આવેલા શામળકુવા ડેમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન તેઓ ડૂબ્યા હતા. આ દુર્ઘટનામાં દુધાપુરા ગામનો રહેવાસી નીલેશ રમણભાઈ રાઠવા નામના ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application