પંચમહાલ જિલ્લાનાં પાવાગઢના એક અંતરિયાળ ગામમાં કૌટુંબિક ફુવાએ વિધિના નામ સગીર પર સ્મશાન દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. બીમાર ભાઈને સાજો કરવા માટે સગીરા તાંત્રિક વિધિ કરતાં કૌટુંબિક ફૂવા પાસે જતાં દુષ્કર્મનો ભોગ બની હતી.
સમગ્ર ઘટના મામલે પાવાગઢ પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધીને નરાધમ ફૂવાની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, પંચમહાલના પાવાગઢમાં બીમાર ભાઈને સાજો કરાવવા માટે સગીરા તાંત્રિક વિધિ કરતાં કૌટુંબિક ફૂવા પાસે પહોંચી હતી. જેમાં આરોપી ફૂવાએ સ્મશાનમાં તાંત્રિક વિધિ કરવાની છે તેમ કહીને સગીરાને પોતાના ગામ નજીકના જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં નરાધમે સગીરાને કહ્યું હતું કે, ‘તારા ભાઈને સાજો કરવો હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.’ આ પછી આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટનાની મામલે પરિવારને જાણ થતાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application