Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં નનવાડામાં મેડિકલ સ્ટોરનાં સંચાલકનું હૃદય હુમલાથી મોત નિપજ્યું

  • April 26, 2024 

વલસાડનાં નનવાડા સ્થિત સિવિલ હોસ્પિટલ સામે આવેલ જીવનનષર સોસાયટીના પ્લોટ નંબર 12/15માં રહેતા નરેશભાઈ સજ્જનભાઈ પાટીલ(ઉ.વ.56)નાઓ વલસાડની સિવિલ હોસ્પિટલ સામે પાટીલ મેડિકલ સ્ટોરનું સંચાલન કરતા હતા. જોકે રાત્રીનાં સમયે નરેશભાઈ તેમના રૂમમાં સુવા માટે ગયા હતા.


ત્યારબાદ તેમની પત્ની પ્રતિભાબેન બેડરૂમમાં ગયા હતા પરંતુ પતિ નરેશભાઈ હલનચલન નહીં કરતા પ્રતિભાબેનએ આ બાબતે પુત્ર હર્ષ અને પુત્રવધુને જાણ કરી હતી જે બાદ પરિવારના સભ્યો નરેશભાઈને સારવાર માટે વલસાડની ઝેનીથ ડોક્ટર હાઉસમાં લઈ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે નરેશભાઈને મૃત જાહેર કર્યા હતા. આમ, પોલીસે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી હતી. જયારે વધુમાં જાણવા મળ્યું હતું કે, નરેશભાઈ છેલ્લા કેટલાક સમયથી ગેસની બીમારીમાં સપડાયા હતા અને તેમની સારવાર પણ ચાલુ હતી તેમજ નરેશભાઈનું હૃદય રોષનાં હુમલાથી મોત થયું હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application