Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરનાં જુના આશ્રવા ગામેનાં ખેતરમાંથી મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસ શરૂ

  • February 16, 2023 

મનિષા એસ. સુર્યવંશી/વ્યારા : નિઝરનાં જુના આશ્રવા ગામે ખેતરમાંથી એક ઈસમનો મૃતદેહ મળી આવતાં પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રનાં નંદુરબાર તલોદા તાલુકાનાં ડીબી હાટી ખાતે રહેતા પુંડલીકભાઈ જમાભાઇ પાડવી (ઉ.વ.46) નાઓનાં બંને દીકરાઓ સૌરાષ્ટ્ર વિસ્તારમાં મજૂરી કામ અર્થે ગયા છે અને પુંડલીકભાઈથી મજૂરી કામ થતું ન હોવાથી પુંડલીકભાઈ પોતાના સગા સંબંધીઓના ઘરે જ જમી લેતા હતા અને ઘરે આરામ કરતા હતા.





પરંતુ ગતરોજ સવારનાં આશરે આઠેક વાગ્યાથી પુંડલીકભાઈ તેમના ઘરે તથા ફળિયામાં હાજર મળી આવ્યા ન હતા. પરંતુ સાંજનાં આશરે સાત વાગ્યાનાં અરસામાં પુંડલીકભાઈનો મૃતદેહ જુના આશ્રવા ગામનાં કૈલાશભાઈ દશરથભાઈ પાટીલ નાઓના સર્વે નંબર-38 પૈકી 1 વાળા ડુબાણવાળા ખેતરનાં શેઢા ઉપરથી મળી આવ્યો હતો. બનાવ અંગે નિઝર પોલીસ મથકે રણજીતભાઈ રમણભાઈ પાડવી નાની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application