Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-નિઝર હાઇવે પર કાર અડફેટે આવતાં બાઈક સવાર નારણપુર ગામનાં ઈસમનું મોત

  • June 07, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલનાં ટોકરવા ગામની સીમમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે પર કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં નારણપુર ગામનાં ઈસમનું સારવાર દરમિયાન સુરત ખાતે મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, ઉચ્છલ તાલુકાનાં નારણપુર ગામનાં નીરગુડી ફળિયામાં રહેતો અજયભાઈ રામાભાઈ કાથુડ (ઉ.વ.35) જેઓ પોતાના કબ્જાની હીરો કંપનીની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ/26/AD/6075ને લઈ ગત તા.28/05/2023ના રોજ બપોરનાં સમયે તેમનાં સાસરીનાં ગામ જુનાવડ ગામથી ઘરે પરત આવી રહ્યો હતો.




તે સમયે ઉચ્છલનાં ટોકરવા ગામની સીમમાંથી પસાર થતો ઉચ્છલ-નિઝર સ્ટેટ હાઇવે નંબર-53 પર ઉપર એક કાર નંબર MH/30/CS/7759નાં ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં અજયભાઈને શરીરમાં ગંભીર ઈજા પહોંચતા નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું તારીખ 30/05/2023નાં રોજ મોત નિપજતાં સુરત શહેરનાં ખટોદરા પોલીસ સ્ટેશને જાણ કરાઈ હતી. ત્યારબાદ ઉચ્છલ પોલીસને જાણ કરાતા તારીખ 05/06/2023નાં રોજ અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application