Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં પાનવાડીમાં બંધ મકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી

  • July 04, 2023 

વ્યારા પોલીસ મથક વિસ્તારમાં ફરી વખત તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. પાનવાડીની નંદનવન સોસાયટીમાં બે મકાનોને મોડીરાત્રે નિશાન બનાવ્યા હતા. જોકે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ વ્યારામાં તસ્કરો ફરી વખત સક્રિય થઈ ગયા છે. વ્યારા તાલુકાના પાનવાડી ગામે આવેલ નંદનવન સોસાયટીના પ્લોટ નંબર-૩૪માં રહેતા રામકરણભાઈ પ્રજાપતિ તેમના પરિવાર સાથે હોસ્પિટલના કામ અર્થે બહાર ગામ ગયા હતા.


આ દરમિયાન સોમવારની મધ્યરાત્રીએ તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.મકાનને બારણે મારેલું અડાગળુ તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. તસ્કરોએ બે કબાટ તોડી તેમાં મુકેલ રોકડ તેમજ સોના-ચાંદીના દાગીન સહિત કુલ ૨ લાખથી વધુની મત્તા ચોરી કરી ગયા હતા. તસ્કરોએ બાજુના એક બીજા મકાનને પણ નિશાન બન્યું હતું. જેમાંથી અંદાજીત ૫ હજાર રોકડ ચોરી કરી લઇ ગયા હતા. જોકે તસ્કરો આ મકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જોકે સમગ્ર મામલે વ્યારા પોલીસને જાણ થતા સ્થળ તપાસ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application