Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી મહાનગરપાલિકાએ શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી

  • April 10, 2025 

નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસા દરમ્યાન દુર્ઘટના ના સર્જાય તે માટે તકેદારીના ભાગરૂપે શહેરની જર્જરીત મકાનોને ઉતારી પાડવાની મિલકત માલિકોને નોટીસ પાઠવી હતી. નવસારી શહેરમાં દર વર્ષે જર્જરીત મકાન ચોમાસાના દિવસોમાં દુર્યટનાઓ બનતી હોય બેસી જવાની છે.


પાલિકા દ્વારા મિલકત ધારકોને તેમની બિસ્માર મિલકત ઉતારી પાડવા માટેની તાકીદ કરાયા છતા પણ લાપરવાહી દાખવતા આવી ઘટનાઓ બને છે. જોકે મહાનગરપાલિકાએ ચોમાસા પૂર્વે જ તકેદારીના ભાગરૂપે પિ-મોન્સુનની કામગીરી હાથ ધરી છે. જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ જર્જરીત મકાનો અને દુકાનોના માલિકોને નોટીસ પાઠવી ૭ દિવસોમાં ખાલી કરવાની તાકીદ કરી છે. ઘટનાઓને પાલિકાના સુત્રોના પ્રમાણે મિલકત ધારકો નોટીસનો અમલ કરવામાં ચૂક કરશે તો પાલિકા દ્વારા શિક્ષણાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application