Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં ખાનપુર ગામે વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • April 05, 2024 

વ્યારાના ખાનપુર ગામનાં વૃદ્ધ ઘરેથી ગુમ થયા હતા અને જેમનો મૃતદેહ ગામની સીમમાં આવેલ આંબાવાડીમાંથી ગળે ફાંસો ખાધેલી લાશ મળી આવતાં પથકમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખાન્પ્ય્ર ગામનાં નિશાળ ફળિયામાં રહેતા શંકરભાઈ કમાભાઈ ચૌધરી (ઉ.વ.61)નાઓ ઘરેથી ગુમ થયા હતા. જોકે બુધવારનાં રોજ સાંજના સમયે ખાનપુર ગામની સીમમાં આવેલ સુમનભાઈ કેસાભાઈ ચૌધરીનાં ખેતરમાં આંબાવાડી જાતે સુતરાઉ દોરડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જયારે નિરાશામાં રેતા શંકરભાઈએ કોઈક અગમ્યકારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાની જાણ પોલીસ મથકે નિતેશભાઈ ચૌધરી નાંએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application