Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ-સોનગઢ રોડ ઉપર અજાણ્યા વાહન અડફેટે આવતાં એકટીવા ચાલકનું મોત

  • October 19, 2022 

ઉચ્છલ તાલુકાનાં પેથાપુર ગામમાં રહેતા દિનેશભાઈ અશ્વિનભાઈ વસાવાનું અકસ્માત મોત થતાં પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, ગત તા.17 ઓક્ટોબરનાં રોજ દિનેશભાઈ વસાવા પોતાના કબ્જાની એકટીવા બાઈક નંબર GJ/26/AC/2528 લઈ તેમની સાસરી કટાસવાણ ગામમાં જઈ રહ્યા હતા.




તે દરમિયાન ઉચ્છલથી સોનગઢ તરફ જતા રોડ ઉપર વડપાડાભીંત ગામની સીમમાં દેવલીયા ખાચી પાસે અજાણ્યા વાહને એકટીવા બાઈકને ટક્કર મારતા એકટીવાનાં ચાલક દિનેશભાઈને માથાના પાછળના ભાગે તથા કપાળના ભાગે જમણા હાથ પગ તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઈજા થતાં યુવાનનું ઘટના સ્થળ ઉપર જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે આ અકસ્માત બાદ અજાણ્યા વાહન ચાલક અકસ્માત કરીને સ્થળ ઉપરથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અજાણ્યા  વાહન ચાલક સામે રવિદાસભાઈ વસાવાએ ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application