Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Breaking News : કેનાલમાં પાંચ બાળકો ડૂબી જતાં મોત, બાળકોનાં મોતને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી

  • August 03, 2022 

સુરેન્દ્રનગરમાં ડૂબી જવાથી પાંચ બાળકોનાં મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક કેનાલમાં ચાર બાળકી સહિત પાંચ બાળકો ડૂબી ગયા હતા. આ બાળકો મેથાણ અને સરવાળ ગામ વચ્ચે આવેલી કેનાલમાં ન્હાવા ગયા હતા. જોકે આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે. જયારે એક સાથે પાંચ બાળકોનાં મોતની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.




સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનાં મેથાણ ગામ નજીક કેનાલમાં ડૂબી જતાં ચાર બાળકી સહિત પાંચના મોતથી ચકચાર મચી જવા પામી છે. જેમાં સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. જયારે એકસાથે પાંચ બાળકોનાં મોતને લઇને સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News