Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલીનાં ઝવેરી મહોલ્લાનાં બંધ મકાનમાંથી ચોરી થઈ, પોલીસે તપાસ હાથ ધરી

  • July 11, 2024 

બારડોલીનાં ઝવેરી મહોલ્લામાં તસ્કરોએ શ્રી નાથજી આઈસ્ક્રીમ વાળાનાં બંધ ઘરને નીશાન બનાવી રોકડ સહિત સોના ચાંદીના ઘરેણા ચોરી નાસી ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલીનાં ઝવેરી મહોલ્લામાં રહેતા શ્રી નાથજી આઈસ્ક્રીમવાળા ડુંગરસિંહ કિશનસિંહ રાજપુત પોતાના પરિવારનાં સભ્યો સાથે મુળ વતન રાજસ્થાનમાં લગ્ન પ્રસંગ ગયા હતા.આ દરમિયાન રાત્રિનાં સમયે તસ્કરોએ ડુંગરસિંહના મકાનને નીશાન બનાવ્યું હતું.


ઘરના આગળના દરવાજા નકુચા તાળા તોડી તસ્કરો ઘરમાં ઘુસીને ત્રણ કબાટ તોડી તેમાં મુકેલ રૂપિયા 50 હજાર રોકડા, એક સોનાની ચેઈન અને ચાંદીના ઘરેણા ઉપરાંત મંદિરના પુજા માટે મુકેલા દાગીના અને સિક્કા ચોરી ગયા હતા. ચોરીની જાણ સવારે મકાનની ઉપરના ભાગે રહેતા ભાડુઆતને થતા તેમણે ઝવેરી મોલ્લાના લોકોને જાણ કરી હતી. તમામે પોલીસને અને ડુંગરસિંહને જાણ કરી હતી જેથી ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરીની ફરિયાદ લઈ આગળની વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application