Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજની શાળામાં ફરજ બજાવતા શિક્ષકનું બેભાન થતાં મોત નિપજ્યું

  • August 01, 2024 

કામરેજની શાળામાં ફરજ બજાવતા સુરતના પુણા ગામના શિક્ષક બેભાન અવસ્થામાં નીચે પડી ગયા હતા. જેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ડોક્ટરે તેમનું મોત થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કમલેશભાઈ દયારામભાઈ પટેલ (રહે.પુણા ગામ, સુરત) કામરેજની શ્રી પ્રખુ પટેલ અને શ્રી ગણેશ વિદ્યાલય હાઇસ્કૂલમાં છેલ્લાં ઘણા સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાળામાં બેઠા હતા ત્યારે અચાનક બેભાન અવસ્થામાં નીચે પટકાયા હતા. જેમને ઈજા થઈ હતી. શિક્ષકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરનાં હાજર ડોક્ટરોએ કમલેશભાઈને મૃત ઘોષીત કર્યા હતા. કામરેજ પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News