Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં તુંડી ગામે પહેલા માળનાં દાદર પરથી નીચે પટકાતા મજુરનું સારવાર દરમિયાન મોત

  • January 20, 2023 

મૂળ મહારાષ્ટ્રનાં નંદુરબાર જિલ્લાનાં નવાપુર તાલુકાનાં અને હાલ બારડોલી ખાતે પડાવમાં રહેતા રમેશભાઈ રામજીભાઈ દેસાઈ (ઉ.વ.58)નાઓ છૂટક મજુરીમાં કડીયા કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે ગુરુવારનાં રોજ રમેશભાઈ સાથે અન્ય એક મજૂર બારડોલીથી પલસાણાનાં તુંડીગામે પટેલ ફળિયામાં મજુરી માટે આવ્યા હતા.



જ્યાં બપોરમાં 2 વાગ્યાનાં અરસામાં મજુરી કામ કરતા સમયે રમેશભાઈ દેસાઈ પહેલા માળનાં દાદર પરથી નીચે પટકાયા હતા. જેઓને માથામાં ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે બારડોલી સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application