Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંગરોળનાં કનવાડા ગામે 15 વર્ષીય સગીરને કરંટ લાગતાં મોત

  • July 27, 2023 

સુરતનાં માંગરોળ તાલુકાનાં કનવાડા ગામનો 15 વર્ષીય અર્જુન પ્રવીણભાઈ વસાવા ગત તારીખ 24 સવારે ગામની સીમમાં કંટોલા વીણવા જાઉં છું, એવું કહી ઘરેથી નીકળ્યો હતો અને ત્યારબાદ અર્જુન પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. આ દરમિયાન નટુભાઈ પટેલનાં ખેતરની ફેન્સીંગ પાસેથી અર્જુન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ સમયે સાથે આવેલા કાંતાબેન પટેલે જણાવ્યું કે, આઠ દિવસ પહેલા હું ઘાસચારો લેવા આવી હતી ત્યારે આ ફેન્સીંગ સાથેથી મને કરંટ લાગ્યો હતો જેથી તપાસ કરતા તળાવ ફળિયા નજીકથી મોસાલીના લાલાભાઇ નામના વ્યક્તિએ પોતાનું ફાર્મ હાઉસ બને છે ત્યાં વીજ પાવર લઈ જવા માટે ઉપરોક્ત વીજ વાયર નાખ્યો હોવાનું જણાયેલ છે. આ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે સ્થળ પર આવી મરણ જનાર અર્જુનના મૃતદેહને પી.એમ. માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application