Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : યુવાને શરીરે પેટ્રોલ નાંખી આગ લગાવી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી

  • October 23, 2022 

સુરતનાં પલસાણા તાલુકાનાં કરણ ગામે રહેતા યુવાને માનસિક તાણમાં શરીરે પેટ્રોલ નાંખી આગ લગાવી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. પલસાણા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનનાં જાલોડ જિલ્લાનાં અને હાલ પલસાણા તાલુકાનાં કરણ ગામે તક્ષશિલા બંગલોઝના મકાન નંબર-19માં રહેતા પુશારામભાઈ મંગલરામભાઈ બિસનોઈ (ઉ.વ.56) ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે જોકે તેમના પુત્ર શ્રવણભાઈનાં લગ્ન થોડા સમય અગાઉ થયા હતા અને પત્ની પિયરમાં રાજસ્થાન હતી.




તેમજ છેલ્લા કેટલાક સમયથી શ્રવણ ધંધા અર્થે માનસિક ટેનશનમાં રહેતો હતો જેથી બુધવારનાં રોજ બપોરના 1 સમયે  શ્રવણ ઘરના ઉપર આવેલા પોતાના રૂમમાં હાજર હતો ત્યારે પોતાના શરીરે પેટ્રોલ છાંટી આગ ચાંપી બુમાબુમ કરી હતી જે સમયે નીચેના રૂમમાં હાજર તેના પિતાએ ચીસ સાંભળતા ઉપર દોડી ગયા હતા અને પુત્રને આગથી બચાવવા પ્રયત્ન કર્યા હતા શ્રવણને ખાનગી વાહન મારફતે સુરતની કિરણ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા સાંજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે પુશારામે પલસાણા પોલીસ મથકના જાણ કરતા પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application