Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરમાં મજુરી કામ કરવા ગયેલ યુવકનું કરંટ લાગતાં મોત

  • September 20, 2022 

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં વરેલી ગામે વહેર ફળિયામાં રહેતા વિષ્ણુભાઈ અબુંભાઈ રાઠોડ (ઉ.વ.19) રવિવારનાં રોજ બપોરનાં સમયે પોતાના ગામની સીમમાં આવેલ બ્લોક નંબર-2 અને સર્વે નંબર-2 પર આવેલ ગુલામભાઈ દીદારભાઈ મલેકના ખેતરમાં મજુરી માટે ગયા હતા. તેઓ કેળાનાં ખેતરમાં કેળના પીલા કાપવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે ખેતર ઉપરથી પસાર થતા વિજવાયર એકાએક તૂટીને નીચે પડતા વિષ્ણુ રાઠોડનાં ખભા પર પડ્યો હતો જ્યાં તેમનું કરંટ લાગવાથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. ઘટના અંગે માંડવી પોલીસે ગુનાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application