Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં ઈસમનું સારવાર દરમિયાન મોત

  • September 16, 2022 

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં ચલથાણ ગામેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર-48 પર અમદાવાદથી મુંબઇ તરફના ટ્રેક પર ગત તા.9નાં રોજ એક અજાણ્યા વાહને એક અજાણ્યા અંદાજીત 50 વર્ષીય પુરૂષને ગંભીર રીતે અડફેટે લીધો હતો. જોકે તે સમયે ત્યાંથી પસાર થતા ચલથાણ રામકબીર સોસાયટીમાં રહેતા મછીઇન્દ્રનાથ આત્મારામ પાટીલ ઉર્ફ તાતીયાભાઈ નાઓએ ઘટના સ્થળે ભીડ જોઈ અને ત્યાં ગયા હતા.




જયારે અજાણ્યા ઇસમને વધુ ઇજાઓ હોવાથી 108ની મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તા.14નાં રોજ તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. ઘટના અંગે ચલથાણ રામકબીરમાં રહેતા મછીન્દ્રનાથ પાટીલે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કડોદરા પોલોસ મથકમાં ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application