Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બારાસડી ગામે દીવાલ નીચે દબાઈ જતાં મજૂરનું મોત

  • April 01, 2023 

પલસાણાનાં બારાસડી ગામેનાં મજુરી માટે આવેલા બે મજૂર પૈકી એક દીવાલ નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળે જ મજૂરનું મોત નીપજ્યુ હતુ. મળતી માહિતી અનુસાર, સુરતનાં બારડોલી તાલુકાનાં વરાડ ગામે આવેલ આશ્રમ ફળિયામાં રહેતા ચેતનભાઈ રાજુભાઇ હળપતિ (ઉ.વ.29) તેમજ તેમના મિત્ર ગત તારીખ 29 માર્ચનાં રોજ પલસાણા તાલુકાનાં બારાસડી ગામે મંદિર ફળિયામાં આવેલ ભૂપેન્દ્રભાઈ પટેલનાં ત્યાં આવ્યા હતા.




જયા જુના મકાન માંથી નળીયા કાઢી પતરા નાખવા માટેનું કામ કરી રહ્યા હતા મકાનમાં પતરા ચઢાવવા માટે મકાનની અંદર સફાઈ કરી રહ્યા હતા. તે દરમીયાન મોડી સાંજે 5 :30 વાગ્યાના અરસામાં મકાનની દીવાલ પડતા ચેતનભાઈ હળપતિ દીવાલ નીચે દબાઈ જવાના કારણે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. ઘટના બાદ યુવકને બારડોલી રેફરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application