Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ ઘરમાંથી તસ્કરોએ રૂપિયા 2 લાખથી વધુની ચોરી કરી ફરાર

  • June 10, 2022 

નવસારીનાં છાપરા રોડ વિસ્તારમાં આવેલી દર્પણ સોસાયટીનાં એક મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જોકે ઘરના તાળા તોડી 2 લાખથી વધુની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં છાપરા રોડ વિસ્તારમાં આવેલી દર્પણ સોસાયટીમાં જીતેન્દ્ર પ્રતાપભાઈ (હાલ રહે.તુલસીવન અને મૂળ રહે.બોરીવલી)માં રહે છે તેમજ તેઓ સામાજિક કામ હોય ગત તા.6 જૂનના રોજ ઘર બંધ કરી ગયા હતા.



તે દરમિયાન બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરનાં મુખ્ય દરવાજો ઉપર મારેલ તાળું તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ રૂમમાં રાખેલ તિજોરીના તાળા તોડ્યા હતા અને તેમાં રાખેલ સોના-ચાંદીનાં દાગીનાં અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજી તરફ ઘરનો દરવાજો ખુલ્લો જોતા પાડોશીએ તેમને જાણ કરી હતી.



ત્યારબાદ ઘર માલિકે પહોંચી તપાસ કરતા સોના-ચાંદીનાં દાગીનાં અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,34,500/-ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે નવસારી ટાઉન પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application