Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીખલીનાં સમરોલી ગામનાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પરિવારજનોને રૂપિયા 20 લાખની સહાય અપાઇ

  • June 20, 2022 

નવસારી તાલુકાનાં આમરી-કસ્બા ગામે ધોળાપીપળા તરફ જતા રોડ ઉપર કન્ટેનર અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના પાંચ વ્યકિતનું મૃત્યુ થયું હતું. તેઓના પરિવારજનો પર આફત આવી પડતાં નવસારીના સાંસદ અને આદિજાતિ વિકાસ મંત્રીએ મૃત્યુ પામેલા પરિવારજનોને મુખ્યમંત્રીના ખાસ રાહત ફંડમાંથી સહાય મળી રહે તે માટે રજૂઆત કરી હતી.




રાજય સરકારએ મૃતકના પ્રત્યેક વારસદારને રૂપિયા ૪ લાખ લેખે કુલ પાંચ વારસદારોને રૂપિયા ૨૦ લાખની સહાય મંજૂર કરાઇ હતી. જે અંતર્ગત નવસારી સાંસદ અને મંત્રી નાએ સમરોલી ખાતે જઇ વારસદારોને સહાયના ચેક આપવામાં આવ્યા હતાં  અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application