Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગાયે મહિલા પર હુમલો કરતાં ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવી

  • October 12, 2022 

નવસારીનાં દશેરા ટેકરી સરસ્વતિ માતાજી મંદિરથી ટાગોરનગર સોસાયટી તરફ જતા રસ્તા પર રખડતી ગાયે ઘરકામ કરવા જતી મહિલાને અડફેટે લીધી હતી. જેથી મહિલા જમીન પર પડી જતા ઇજા પહોંચી હતી. તેને સારવાર અર્થે નવસારી સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. બનાવની વિગત એવી છે કે, નવસારીનાં દશેરા ટેકરી વિસ્તારમાં મુખ્ય માર્ગે પાર્વતીબેન નાનુભાઈ રાઠોડ (ઉ.વ.આ.51) તેમના પરિવાર સાથે રહે છે. તેણી ટાગોર સોસાયટીમાં એક અનાવિલ સદગૃહસ્થને ત્યાં ઘરકામ કરવા માટે રાબેતા મુજબ બપોરે એક વાગ્યાના સમયે સરસ્વતી માતાજીના મંદિરથી ટાગોર સોસાયટીમાં જતી હતી.




તે દરમિયાન રસ્તામાં અચાનક ગાયે આવીને પાર્વતીબેન ઉપર હુમલો કરતા તેઓ ગભરાઈ ગયા હતા અને  ગાયે હુમલો કરતા પાર્વતીબેન માથા અને શરીરનાં ભાગે ઇજા થતા લોહીલુહાણ થઈ ગઈ હતી. અચાનક બનેલી આ ઘટનાથી બચાવો બચાવોની બૂમો પાડતા સ્થાનિકોએ ગાયને ત્યાંથી ભગાડી હતી. ઇજાગ્રસ્ત પાર્વતીબેનને સારવાર માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતા. જોકે પાર્વતીબેનના પુત્રોએ હાલ ફરિયાદ નોંધાવાની ના પાડી હોવાની માહિતી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application