Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : પતિએ મોબાઈલ લઇ લેતા પત્નિને મનમાં ખોટું લાગી આવતાં ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • December 30, 2022 

નાંદોદનાં ઢોચકી ગામની પરણિત મહિલાનાં પતિએ મોબાઈલ લઇ લેતા મનમાં ખોટું લાગી આવતાં ઘરમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં ઢોચકી ગામે રહેતા સંજય મહેન્દ્ર વસાવા સાથે પોતાની પુત્રી મંજુલાને નામલગઢ રહેતા મુકેશ રતિલાલ વસાવાએ આજથી 7 મહિના પહેલા પરણાવી હતી. બંને પતિ-પત્ની વચ્ચે રાત્રિનાં મોબાઈલ બાબતે બોલાચાલી થઇ હતી એટલે પતિ સંજય પોતાની 22 વર્ષીય પત્ની મંજુલા પાસેથી મોબાઈલ લઈને ઘરની બહાર જતો રહ્યો.




જોકે પતિ મોબાઈલ લઇ જતા મનમાં ખોટું લાગી આવતા ઘરમાં પરણિતા એકલી હોવાથી તેણીએ ઘરની અડાળીનાં લાકડા પર પોતાની ઓઢણી બાંધીને ફાંસી ખાઈને આત્મહત્યા કરી લીધી. જોકે પોતાની પત્નીને મૃત હાલતમાં લટકતી જોઈ પરિવારને જાણ કરી અને પોલીસને જાણ કરતા પોલીસે આત્મઘાત મોત નોંધી તપાસ હાથ ધરી હતી. જયારે આ પરણિત યુવતીએ કયા કારણોસર આત્મહત્યા કરી પતિ-પત્ની સાથે થયેલા ઝગડામાં આખરે મામલો કેવો હતો તે બાબતની આમલેથા પોલીસ તપાસ તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application