Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Investigation : અજાણી ટોળકીએ ત્રણ મકાનોને નિશાન બનાવી રૂપિયા 18 લાખની ચોરી કરી, પોલીસ તપાસ શરૂ

  • October 25, 2022 

ગાંધીનગરનાં અડાલજમાં આવેલી દેવનંદન પરિસર વસાહતમાં રાત્રે ત્રાટકેલી અજાણી ટોળકીએ એક પછી એક એમ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા. જોકે, એક મકાનમાંથી 11 લાખનાં દાગીનાં અને 7 લાખની રોકડ મળી 18 લાખની ચોરી જવામાં તસ્કરો સફળ રહ્યા હતા. બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, અડાલજની દેવનંદન પરિસર વસાહતમાં એક પછી એક એમ 3  મકાનનાં તાળા તૂટયા હતા ત્યારે આ મામલે વસાહતના મકાન નંબર એચ-104માં રહેતા અને અડાલજમાં જ કાર વોસીંગ સેન્ટર ચલાવતા બુધાજી કાળાજી ઠાકોરે ફરિયાદ નોંધાવી હતી કે, રાત્રે તેમનાં સર્વિસ સેન્ટર ઉપર કાર વોસીંગ સેન્ટર ઉપર કામ ચાલી રહ્યું હતું અને તેમની પત્ની અને તેમની પુત્રી પણ ત્યાં આવ્યા હતા તેથી તેઓ ત્યાં જ સુઇ ગયા હતા.




જોકે સવારનાં સમયે તેઓ ફ્લેટ ઉપર પહોંચ્યા ત્યારે મકાનનાં દરવાજાનો નકૂચો તૂટેલી હાલતમાં હતો અને ઘરમાં તપાસ કરતા સામાન વેર-વિખેર હાલતમાં જણાયો હતો. તેમજ તિજોરી અને કબાટમાંથી સોના-ચાંદીનાં દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 18 લાખની ચોરાઇ હતી. તો આ જ વસાહતમાં ફ્લેટ નંબર એન-102 અને 302નાં પણ તાળા તૂટયા હતા જેમાંથી ચોરીની વિગતો બહાર આવી નથી. બનાવ અંગે અડાલજ પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application