Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામે બંધ મકાનમાંથી રોકડ રૂપિયા અને સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ

  • March 13, 2023 

અંકલેશ્વરનાં કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્કમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને રૂપિયા 55 હજાર રોકડ મળીને સોના-ચાંદીનાં દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જયારે ચોરીની જાણ થતાં જ મકાન માલિકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અંકલેશ્વરનાં કાપોદ્રા ગામમાં ઝકરીયા પાર્ક સોસાયટી આવેલી છે. જેમાં આસિફ ઈસ્માઈલ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ કોઈ કામ અર્થે પોતાનું મકાન બંધ કરીને પરિવાર સાથે બહાર ગામ ગયા હતાં. તે સમય દરમિયાન તસ્કરોએ રાત્રિના તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.







જોકે તસ્કરોએ તેમના મકાનમાં ત્રાટકી તિજોરી અને તેનું લોકર તોડી અંદર રહેલા રોકડા રૂપિયા 55 હજાર, પત્નીના સોના-ચાંદીમાં દાગીના અને પુત્રીના ગલ્લામાં ભેગા કરેલા રૂપિયા લઈને અંધારામાં પલાયન થઈ ગયા હતાં, જયારે બીજા સવારે આસિફ સોલંકી સવારે વહેલા ઘરે આવતા તેંમના રૂમનો દરવાજો ખુલ્લો જોતાં ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મકાન માલિકની ફરિયાદનાં આધારે પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી આવીને આસપાસ તપાસ કરી ડોગ સ્કોડ અને એફ.એસ.એલ.ની મદદ મેળવી તસ્કરોને પકડવાની  કામગીરી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application