Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં નંદેલાવ બ્રીજ નીચે અજાણ્યા વાહન અડફેટે રાહદારીનું સારવાર દરમિયાન મોત

  • March 09, 2023 

ભરૂચનાં નંદેલાવ બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપર રાહદારીને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા  અકસ્માત સર્જાયો હતો. જેમાં રાહદારીનું સારવાર દરમિયાન વડોદરાની એસ.એસ.જી ખાતે કરૂણ મોત નીપજ્યું હતું. બનાવની વિગત એવી છે કે, ગત તા.6 માર્ચનાં રોજ ભરૂચનાં નંદેલાવ બ્રીજ નીચે સર્વિસ રોડ ઉપરથી આશરે 50 વર્ષીય આધેડ પસાર થઇ રહ્યા હતા.







તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાહદારીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાજ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ભરૂચ એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application