Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી તરફ જતી ST બસને અકસ્માત નડ્યો, મુસાફરોનો આબાદ બચાવ : ટ્રક ચાલક ફરાર

  • October 13, 2022 

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા રાજપારડી વચ્ચે કેવડિયાથી નવસારી તરફ જતી એસટી બસને અકસ્માત નડતા બસમાં બેઠેલા મુસફરોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે સદભાગ્યે કોઇ જાનહાની નહી થતાં તંત્રએ રાહત અનુભવી હતી. મળતી માહિતી મુજબ, માર્ગ પરથી પસાર થતી ટ્રકના ચાલકે અચાનક ટર્ન લેતા બસ ડ્રાઈવરે સમય સુચકતા વાપરીને બસને ટક્કરથી બચાવવા કોશિશ કરી હતી આને લઇને બસ રોડની બાજુમાં ઉતરી ગઈ હતી.




જોકે આ ઘટના રાજપારડી નજીક ખડોલી પાસે બની હતી. બસ અને ટ્રક વચ્ચેનાં આ અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઇજાઓ થઇ હોવાનુ જાણવા મળ્યુ હતું. તો બીજી તરફ અકસ્માત સર્જાતા બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ બસના ચાલકે સમય સૂચકતા વાપરતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.





જ્યારે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક છોડી ફરાર થઈ ગયો હતો. બસના ચાલકનાં જણાવ્યાં મુજબ ટ્રક અચાનક વળી જતાં અકસ્માત થાય તેમ હતું પણ બસ ખાડામાં ઉતરી જતાં મુસાફરોનો બચાવ થયો હતો. બનાવની જાણ થતાં રાજપારડી પોલીસનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને બસને ખાડામાંથી બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી. અકસ્માત બાદ ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application