Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે આવતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત, પોલીસ તપાસ શરૂ

  • July 15, 2023 

અંકલેશ્વરનાં નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઈક સવારને અડફેટેમાં લેતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથેના અન્ય ઇસમને ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેવામાં આવ્યો હતો. ઘટના અંગે બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, ​​​​​​અંકલેશ્વર નિલેશ ચોકડી ઉપર સવારના સમયે નોકરી પર જતાં લોકોના કારણે વાહનોથી સતત વ્યસ્ત રહેતો હોય છે. જોકે સવારનાં સમયે અંકલેશ્વરનાં જોષીયા ફળિયામાં રહેતા જયંતિ દિલીપભાઈ પટેલ અને કમલેશ પૂંજાભાઈ પટેલને બાઈક પર બેસાડી નિલેશ ચોકડી પરથી પસાર થઈ રહ્યો હતા.



તે સમય દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને અડફેટેમાં લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક સવાર જયંતીભાઈ રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓને કારણે તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે અન્ય વ્યક્તિ કમલેશ પટેલને પણ શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો નોંધીને અકસ્માત સર્જનાર વાહન ચાલકને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application