Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Suicide : પરિણીત મહિલાએ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

  • October 22, 2022 

અંકલેશ્વર ગડખોલનાં ગોપીનાથ રો હાઉસ ખાતે પરિણીત મહિલાએ ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો હતો. જોકે 47 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર નાયલોનની દોરી બાંધી ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે GIDC પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, અંકલેશ્વર તાલુકા ગડખોલ ગામ ખાતે આવેલ ગોપીનાથ રો હાઉસ ખાતે રહેતા નિશાબેન પ્રવેશ પાલએ ગતરોજ અગમ્ય કારણોસર ઘરે રૂમમાં સિલિગ ફેન સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. જોકે આ અંગે તેમના પુત્રને જાણ થતા GIDC પોલીસ મથકે જાણ કરી હતી પુત્ર દિપકની ફરિયાદ આધારે પોલીસે સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહ નીચે ઉતારી પી.એમ અર્થે ખસેડાયો હતો તેમજ પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application