Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ : હોસ્પિટલમાં છતનો ભાગ તૂટતાં અફરાતફરી મચી, દર્દીઓ નહીં હોવાથી મોટી જાનહાની ટળી

  • June 12, 2023 

અમદાવાદની જાણિતી એસ.વી.પી. હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડની છતનો ભાગ તૂટતાં અફરા તફરી મચી ગઈ હતી. હોસ્પિટલનાં 12માં માળે અચાનક છતનો કાટમાળ પડતાં પીઓપી સહિતનું સ્ટ્રક્ચર ધરાશાહી થયું હતું. જોકે ડાયાલિસિસ વોર્ડમાં દર્દીઓ નહીં હોવાથી મોટી જાનહાની ટળી હતી. ભૂતકાળમાં પણ POPની છત તૂટી પડી હતી. તેમજ ઓપરેશન થિયેટરમાં પણ પાણી પડ્યું હતું.


એસ.વી.પી. હોસ્પિટલનાં CEO ડો.સૌરભ પટેલે મીડિયા સાથેની જણાવ્યું હતું કે, રવિવારે હોસ્પિટલમાં ડાયાલિસિસ વોર્ડમાં RCCની છતમાં વચ્ચે લાગેલી પીઓપીની શીટ લગાવેલી છે. જે 5 જેટલી શીટ તૂટી છે. જોકે, જ્યાં દર્દીઓના બેડ છે. ત્યાં શીટ નથી પડી. ચાલવાનું પેસેજ છે ત્યાં શીટ તૂટી હતી. કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. એસ.વી.પી. હોસ્પિટલમાં અવારનવાર છત પડવાની તેમજ પાણી પડવાની ઘટનાઓ બની ચુકી છે. હોસ્પિટલની B-2 વોર્ડની POPની છત તૂટી પડી હતી. જેને પગલે દર્દીઓને પાંચમાં માળે ખસેડવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News