Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Police Complaint : પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી મારમારી ત્રાસ આપતાં પતિ સામે ગુનો નોંધાયો

  • August 25, 2024 

અમદાવાદમાં ગૃહકલેશના કારણે નરોડામાં રહેતી મહિલાનો લગ્નના નવ વર્ષ બાદ ઘર સંસાર પડી ભાંગ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીના જન્મથી નારાજ સાસરીયાએ મહિલાને માનસિક તેમજ શારિરીક ત્રાસ વર્તાવવાનો શરુ કર્યો હતો એટલું જ નહી ચારિત્ર્યની શંકા રાખીને મહિલાને માર મારતા અને બીજી પત્ની મળી જશે કહીને જીવવું ઝેર કરી દીધું હતું. જેથી કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલા પિયરમાં રહેવા આવી ગઇ હતી. ત્યારબાદ તેડી જવાની ના પાડી દીધી હતી. બનાવ અંગે સરદારનગર પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


નરોડા વિસ્તારમાં રહેતી ૩૩ વર્ષીય મહિલાએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં વટવા ખાતે રહેતા પતિ સહિત સાસરીના ત્રણ સભ્યો સામે ફરિયાદ નોંધાવી છે કે નવ વર્ષ પહેલા સમાજના રિતી રિવાજ મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નના થોડા મહિના સુધી સારી રીતે રાખતા હતા બે વર્ષ પછી દીકરીના જન્મથી નારાજ થઇને સાસરિયા દ્વારા ઘર કામ બાબતે તકરાર કરીને માનિસિક શારિરીક ત્રાસ આપતા હતા. એટલું જ નહી સાસુ તથા નણંદ તું ચારિત્ર્યહીન છે તું ઘરમાંથી નીકળી જા મારા ભાઇને બીજી પત્ની મળી જશે તેમ કહીને મારઝૂડ કરતા હતા તથા મકાન માટે રૂપિયાની માંગણી કરતા મહિલા પિયરમાંથી બે લાખ લાવીને આપ્યા હતા તેમ છતાં અસહ્ય ત્રાસ આપતાં કંટાળીને મહિલા ત્રણ મહિના પહેલાં સંતાનો સાથે પિયરમાં રહેવા જતી રહી હતી ત્યારબાદ તેડી જવાની અને રાખવાની ના પાડી દીધી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News