Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Rain Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં પાણી જ પાણી, ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

  • August 26, 2024 

છેલ્લા કેટલાંક દિવસોથી મેઘરાજાએ ગુજરાતને ઘમરોળવાની શરૂઆત કરી દીધી છે. જોકે ગતરોજ પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. જેના પગલે અમદાવાદ, નવસારી, વલસાડ, ઉમરપાડા, સુરત જેવા શહેરોની પણ હાલત બગડી ગઇ. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના લેટેસ્ટ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં વરસાદની વાત કરીએ તો હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 244 જેટલા તાલુકામાં પાણી જ પાણી થઈ ગયું હતું.


નવસારીના ખેરગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અહીં 24 કલાકમાં 18.20  ઈંચ વરસાદ ખાબકી જતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ જોવા મળી. જ્યારે બીજી બાજુ કપરાડામાં 14 ઈંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું. છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરતાં 244 તાલુકા ભિંજાયા હતા. જ્યારે 75 તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો તો 113 તાલુકામાં 2થી વધુ ઈંચ વરસાદ ખાબકતાં રોડ રસ્તા બેટમાં ફેરવાઈ ગયા હતા. લેટેસ્ટ અપડેટ મુજબ 187 તાલુકામાં સરેરાશ 1 ઈંચ જેટલો વધાર જોવા મળ્યો હતો. ખેરગામ અને ડાંગના આહવા ઉપરાંત 10 ઈંચ વઘઈમાં, ધરમપુરમાં 9.5 ઈંચ, ડેડિયાપાડામાં 9.4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application