Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના નગરકેશરી : સ્વ.ડો.મહેન્દ્ર શાહની સ્મૃતિમાં બનેલ સ્મારક વિકાસઘાટનું લોકાર્પણ કરાયું

  • March 15, 2021 

વ્યારાના વિકાસપુરુષ અને પોતાનું સમગ્ર જીવન વ્યારાના વિકાસ માટે સમર્પિત કરી વ્યારાને વિશ્વના ફલક પર પહોંચાડનાર સ્વ.ડો.મહેન્દ્ર શાહની યાદગીરી રૂપે બનાવેલ સ્મારક વિકાસઘાટનું વ્યારાની જનકસ્મારક હોસ્પિટલના પટાંગણમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

 

 

 

 

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી ડોક્ટર શાહને શ્રદ્ધાંજલિ આપી હતી. આ કાર્યક્રમમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ચેરમેન નરેશ પટેલ, સહકારી અગ્રણી ભીખા ઝવેર, ડો.ગિરીશ કાઝી સહિત શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળના પ્રમુખ હસું ભકતા, ચેરમેન નેવીલ જોખી, મંત્રી મહેશ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોએ ડોક્ટર શાહની કામગીરીને વાગોળી ભાવિ પેઢી પણ તેમના માર્ગે ચાલી વ્યારાના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે માટે આહવાન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application