Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : બે જેટલી ડોલ્ફિન મૃત હાલતમાં દરિયા કિનારે તણાઈ આવી

  • September 20, 2022 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ દરિયા કિનારે એક સાથે બે જેટલી મૃત હાલતમાં ડોલ્ફિન જોવા મળતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ઉમરગામ તાલુકાના નારગોલ ગામે દર વર્ષે દરિયાની અંદરથી મૃત હાલતમાં ડોલ્ફિન તણાઈ આવવાના બનાવ બનતા હોય છે. રાત્રિની ભરતીના પાણીમાં નારગોલ ગામના માલવણ બીચ વિસ્તારમાં એક સાથે બે જેટલી ડોલ્ફિન મૃત હાલતમાં કિનારે તણાઈ આવી હતી.




જે અંગે સ્થાનિક માછીમારોએ ગામના સરપંચ સ્વીટી ભંડારી નો સંપર્ક કર્યો હતો. ડોલ્ફિન વર્ગ 1 નું પ્રાણી હોય સરપંચ સ્વીટી બેને નારગોલના દરિયા કિનારે મૃત હાલતમાં આવેલ ડોલ્ફિન અંગેની જાણ સ્થાનિક સામાજિક વન વિભાગના RFO અમિત ટંડેલને ટેલીફોનિક રીતે જાણ કરતા અમિતભાઈ ટંડેલ અને ટીમ સ્થળ ખાતે આવી પહોંચી હતી.વનવિભાગે વેટરનરી ડોક્ટરને જાણ કરી મૃત ડોલ્ફિનનું પીએમ કરાવ્યા બાદ મૃત ડોલ્ફિનને દફન કરવામાં આવી હતી. એક સાથે બે ડોલ્ફિન અમૃત હાલતમાં મળી આવી છે તે ઉપરાંત આ વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષની અંદર પાંચથી વધુ ડોલ્ફિન મૃત હાલતમાં મળી આવી હતી. વારંવાર આ વિસ્તારમાથી મૃત હાલતમાં મળી આવતી ડોલ્ફિનને લઈ પ્રકૃતિ પ્રેમીઓમાં ચિંતા પ્રસરી રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application