Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરગામના સરીગામે ક્વોરીની ખીણમાં પથ્થરો ઘસી આવતા 2નાં મોત

  • October 10, 2021 

ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે આવેલી ક્રિષ્ણા સ્ટોન ક્વોરીમાં ગતરોજ બપોરના સમયે ક્વોરીની ખીણમાં મજૂરો કામ કરી રહ્યાં હતાં. જે દરમ્યાન ઉપરથી પથ્થરો ઘસી આવતા ક્વોરીમાં કામ કરી રહેલા ભેરુલાલ નેનુરામ બલાઇ (ઉ.વ. 32) અને યમનીબેન માહીરામ આશરિયા (ઉ.વ.36) દટાઈ ગયા હતા. જેથી તેમને ત્યાના અન્યો મજૂરોએ બહાર કાઢી સારવાર માટે ભીલાડ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ભીલાડ પોલીસને જાણ કરતા ભીલાડ પોલીસ ભીલાડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application