Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : મંદિરે દર્શન કરવા જતા દંપતિનું અકસ્માતમાં ઘટના સ્થળે મોત

  • January 06, 2021 

વલસાડના મોટા તાઈવાડમાં આવેલા ઘડુચી સ્ટ્રીટમાં રહેતા ધીરુભાઈ શુક્કરભાઈ ટંડેલ(ઉ.વ.૫૪) અને તેમની પત્ની લક્ષ્મીબેન અબ્રામા ખાતે આવેલા શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના દર્શનાર્થે તેમની સીબીઝેડ બાઈક(નં.જીજે/15/એએફ/6406) પર બેસીને સવારે ઘરેથી નીકળ્યા હતા અને તેઓ ધરમપુર રોડ ઉપર આવેલા ખ્રીસ્તીના કબ્રસ્તાનની નજીક પહોચ્યા તે સમયે વલસાડથી કપરાડા જઈ રહેલી એસ.ટી. બસ(નં.જીજે/18/ઝેડ/2610)ના ચાલકે બસને અચાનક જ ડાબી તરફ વાળી  દીધી હતી જેથી પાછળ આવી રહેલા ધીરુભાઈએ ગભરાઈને સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સમેત બસના પાછળના ટાયર નીચે ઘુસી ગયા હતા અને કઈ સમજાય તે પહેલા તો બસના ટાયરો દંપતીના માથા તથા મોઢા ઉપર ફરી વળતા બંનેના સ્થળ પર જ મૃત્યુ થતા હતા.

 

 

આ ઘટનાની જાણ થતા વલસાડ પોલીસ સ્થળે પહોચી હતી. પોલીસે મૃતકના ભાણેજ ગિરીશભાઈ ટંડેલને ફરિયાદના આધારે એસ.ટી બસના ચાલક રસિકભાઈ શંકરભાઈ પટેલ(ઉ.વ.૪૨) વિરુદ્દ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application