Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : કોરોનાનાં કારણે આધેડનું મોત

  • November 20, 2021 

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસો વલસાડ સિવાયના 5 તાલુકામાં નહિવત થઇ ગયા છે. હવે માત્ર વલસાડમાં કોરોના પોઝિટિવના કેસો જોવા મળી રહ્યા છે. જોકે શુક્રવારના રોજ વલસાડની શાંતિનગર સોસાયટીમાં રહેતા એક 56 વર્ષીય દર્દી પોઝિટિવ આવતા સારવાર હેઠળ હતા. પરંતુ તેમનું શુક્રવાર મોત થતાં સોસાયટીમાં ચિંતા ફેલાઇ ગઇ હતી. ત્યારે આ સાથે વલસાડના પોશ એરિયામાં તિથલ રોડ ઉપર રહેતા એક 76 વર્ષીય વડીલ કોરોના સંક્રમણની અડફેટમાં આવી જતાં પોઝિટિવ થયા હતા.





બીજી તરફ વલસાડ-તિથલ રોડના 35 વર્ષના મહિલા દર્દી અને 66 વર્ષીય વૃધ્ધ તથા કોસંબા ગામના 52 વર્ષીય આધેડ દર્દીએ સારવાર દરમિયાન કોરોનાને માત આપતાં આ ત્રણે દર્દીઓ સાજા થયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ દર્દીની સંખ્યા હાલે 34 ઉપર સ્થિર રહી હતી. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કોવિડ-19ના નિયમોનું કડક પાલન કરવાની ખાસ જરૂર વર્તાઇ રહી છે. વલસાડ જિલ્લામાં હાલ 34 એક્ટિવ કેસ છે અને શુક્રવારે વલસાડમાં એક કેસ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application