Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : એ.એસ.આઈ એ ઝેરી દવા પી આત્મહત્યા કરી

  • January 18, 2021 

ભીલાડ પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ઉમરગામ તાલુકાના ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. રતિલાલભાઈ મંગુભાઈ ગાવીત(ઉ.વ.53)એ કોઈ અગમ્ય કારણસર ભીલાડ પોલીસ સ્ટેશન પાછળ ઝરોલી રોડ પાસે આવેલી લાઈનમાં પોતાની રૂમમાં સવારથી બપોરના સમય દરમિયાન કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી, જે બાદ તેની તબિયત લથળી ગઈ હતી અને ત્યારબાદ તેમનું મૃત્યુ થયું હતું. આ બાનાવની જાણ ભીલાડ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈએ કરી હતી જે બાદ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોચી બનાવ ને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

 

આ બનાવમાં ભીલાડ પોલીસ મથકમાં એ.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા રતિલાલભાઈ ગાવીતના કેસની વધુ તપાસ પી.એસ.આઈ. આર.બી.વનાર કરી રહ્યા હતા.(સાંકેતિક ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application