Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ : પત્ની અને બાળકોને પિયર મૂકી આવ્યાં બાદ યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

  • October 04, 2021 

વલસાડના મોગરાવાડી ખાતે રહેતો ધવલ ગુણવંતભાઈ રાઠોડએ ગતરોજ મોડી સાંજે તેની પત્ની અને 3 બાળકોને પિયર મૂકી આવ્યાં બાદ દારૂના નશામાં પારડી રહેતા માતા-પિતાને ફોન કરી પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી રહ્યો હોવાનું જણાવી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મોગરાવાડીમાં ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ વલસાડ સિટી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે ઉપર આવી તપાસ હાથ ધરી હતી.

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતા ધવલ ગુણવંતભાઈ રાઠોડે 7 વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા જોકે ગતરોજ સાંજે ધવલ પત્ની સાથે તેના 3 બાળકોને પિયર મૂકી આવ્યો હતો અને ઘરે આવ્યા બાદ દારૂના નશામાં ધવલે પારડી રહેતા તેના માતા-પિતાને ફોન કરીને અગમ્ય કારણોસર પોતે આત્મહત્યા કરી રહ્યો હોવાનું જણાવતા માતા પિતાએ ધવલને સમજાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા અને ધવલ સાથે ફોન ઉપર સંપર્કમાં રહીને તેને વાતોમાં પાડીને સમજાવવાના પ્રયાસો કર્યા હતા તેમછતાં ધવલે ફોન કટ કરીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ધવલના માતા-પિતા તાત્કાલિક ધવલને બચાવવા ઘરે દોડી આવ્યાં હતા પરંતુ પોતાના પુત્રને બચાવી શક્ય ન હતા. બનાવની જાણ વલસાડ સીટી પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application