Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શાકભાજી માર્કેટમાં મોડી રાત્રે બંધ દુકાનમાં આગ લગતા દોડધામ મચી

  • March 12, 2021 

વલસાડનાં શાકભાજી માર્કેટનાં એક દુકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. બંધ દુકાનમાં મોડી રાતે અંદરથી આગની જ્વાળાઓ બહાર આવતા આસપાસના લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી. સાઈકૃપા નામની આ દુકાનમાં અંદરથી આગ લાગેલી હોવાથી આસપાસના લોકો પણ મોટી સંખ્યામાં સ્થળ પર હાજર થઇ ગયા હતા. 

 

 

 

વલસાડનાં શાકભાજી માર્કેટમાં આવેલી એક દુકાનમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર-બ્રિગેડને કરાતા  વલસાડ ફાયર-બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવા લાગી હતી. પરંતુ  દુકાન અંદરથી બંધ હોવાથી અને આગ દુકાનની અંદર લાગી હોવાથી ફાયર-બ્રિગેડના જવાનોએ  પહેલા તો દુકાનના શટર તોડી અને ત્યારબાદ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. આખરે ભારે જહેમત બાદ ફાયર-બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈપણ પ્રકારની ઈજા કે જાનહાનિ નહીં થતા લોકોએ હાશકારો અનુભવ્યો.

 

 

 

શાકભાજીની આ દુકાનમાં આગ શોર્ટ-સર્કિટથી લાગી હોવાનું મનાઈ રહ્યું છે. પરંતુ સમય રહેતા ફાયર-બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવતા આસપાસની દુકાનોમાં પણ આગ પ્રસરતી અટકાવી હતી જેથી આગની મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application