Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પી એમ મોદીના માતા નાં નિધન ને લઈ વડનગર શોકમય બન્યું, વડનગર શહેરના બજારો સંપૂર્ણ થયા બંધ, 3 દિવસ રહેશે બંધ

  • December 30, 2022 

પીએમ નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરા બા નાં નિધનને પગલે હાલમાં વડનગર શહેર અને મહેસાણા જિલ્લા સહિત ભારત નાં લોકો શોકમગ્ન બન્યા છે ત્યારે વડનગરના નાગરિકોએ સમગ્ર વડનગર એ મા ગુમાવી હોવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. વડનગર સાથે હીરાબાની અનેક યાદો જોડાયેલી છે વડનગરમાં હીરાબા નીડર મહિલા તરીકે ઓળખ ધરાવતા હતા.


ત્યારે વડનગરના વેપારીઓ દ્વારા આજરોજ એકઠા થઈ અને ત્રણ દિવસ માટે બંધ પાળી શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના પગલે આજરોજ વડનગર શહેર નું બજાર આજ સવારથી જ સંપૂર્ણપણે બંધ જોવા મળ્યું હતું તો બીજી બાજુ હીરાબા ને લઈ વડનગર ખાતે શાળા સંકુલમાં પ્રાર્થના સભા યોજવામાં આવિં હતી સરસ્વતી વિદ્યાલય વડનગર , બી એન હાઇસ્કુલ વડનગર ખાતે બાળકો એ શ્રદ્ધાંજલિ અર્પી હતી પ્રભુ ને પ્રાર્થના કરી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આજરોજ વડનગર શહેર ની સ્કૂલ નાં બાળકો ને પ્રાથના કરી સ્કૂલ થી છોડી મૂકવામાં આવ્યા હતા તેમજ આગામી 1 જાન્યુઆરી નાં રોજ વડનગર ખાતે બેસણા યોજાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application