Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રી રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો

  • January 01, 2024 

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્ર અધ્યક્ષને ધમકી ભર્યો ઈ-મેઈલ મળ્યો છે, જેમાં શ્રી રામ મંદિર, ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને STFના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે. ઈ-મેઈલ મોકલનારે પોતાને ISIનો હોવાનું કહી રહ્યો છે. આ મામલે ઉત્તરપ્રદેશ પોલીસમાં FIR નોંધાયા બાદ પોલીસ અને ATSએ તપાસ શરૂ કરી દીધી છે.



ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઉત્તરપ્રદેશ-112માં તૈનાત ઈન્સ્પેક્ટર સહેન્દ્ર કુમારે ધમકીભર્યા ઈ-મેઈલની FRI નોંધી છે. તેમાં જણાવાયું છે કે, દેવેન્દ્ર તિવારીએ UP-112ને એક્સ પર ફરિયાદ ટેગ કરી હતી. તેમાં જણાવાયું છે કે, તેમને ISISના જુબેર ખાને તેમને 27 ડિસેમ્બરે સાંજે 7.37 કલાકે ઈ-મેઈલ મોકલ્યો હતો. ઈ-મેઈલમાં કહેવાયું છે કે, સીએમ યોગી, એટીએફ ચીફ અમિતા યશે જીવવાનું હરામ કરી દીધું છે. તમે પણ મોટા ગૌ સેવક બન્યા છો, તેથી તમામને મોટા બોમ્બથી ઉડાવી દેવાશે. અયોધ્યાના શ્રી રામ મંદિરને પણ ઉડાવીશું, આઈએસઆઈ આની જવાબદારી લઈ રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News