Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પારનેરા હાઈવે પાસે વાહન અડફેટે અજાણ્યા રાહદારી નું મોત

  • December 29, 2020 

વલસાડના પારનેરા હાઈવે પાસેથી રાત્રીના સમયે એક અજાણ્યા રાહદારીને વાહન ચાલકે અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. રાહદારીને ગંભીર ઈજા થતા તેણે સારવાર માટે હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી.

 

 

 

જ્યારે ૧૦૮ના કર્મચારીએ અજાણ્યા ઈસમને તપાસી ને તેણે મૃત જાહેર કર્યો હતો. મૃતકના ખિસ્સામાંથી આધારકાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવતા તેનું નામ કમલેશકુમાર નંદલાલ પ્રસાદ(રહે.વાસુપુર, તા.સાહાબગંજ, જી.પ્રતાપગઢ)હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે હોટલના સંચાલક કાનારામ પ્રજાપતિ એ વલસાડ રૂરલ પોલીસ મથક માં અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application