ગાંધીનગરમાં રવિવારે સાબરમતી નદીમાં નહાવા ગયેલા બે યુવકો ડૂબી ગયા છે. બંને યુવકો અમદાવાદના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ એકનો મૃતદેહ મળી ગયો છે અને અન્ય એકની શોધખોળ થઈ રહી છે. અમદાવાદના ચાંદખેડાના રહેવાસી બે યુવકો વધતી ગરમીના પ્રકોપે ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદીમાં નહાવા ગયા હતાં. આ દરમિયાન બંને યુવકો નદીમાં ડૂબી ગયા હતાં.
ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ 19 વર્ષીય આર્યન સિંહ રાજપૂતની લાશ મળી આવી આવી છે. આ સિવાય બીજો યુવક અંશ પડિતનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી. જેની શોધખોળ શરૂ છે. યુવકોના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છે. જયારે વધુમાં પાટણમાં પણ આજે આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં સરસ્વતી મોરપા ગામે તળાવમાં નહાવા પડેલા બે સગા ભાઈ-બહેનના મોત નિપજ્યા હતા. બાળકોના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application