Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઓડીશા ટ્રેન દુર્ઘટનાં બાદ જબલપુરમાં વધુ બે ટ્રેન દુર્ઘટના સર્જાતાં રેલવે વિભાગમાં ફરી હડકંપ મચી ગયું

  • June 07, 2023 

ઓડિશાનાં બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના સર્જાયા બાદ હવે મધ્યપ્રદેશનાં જબલપુર રેલવે વિભાગમાં વધુ બે ટ્રેન દુર્ઘટનાઓ સર્જાઈ હતી. તારીખ 6 જૂનની સાંજે લગભગ 7.30 મિનિટ પર રેલવે યાર્ડમાં એક માલગાડીના બે ડબા પાટા પરથી ખડી પડ્યા હતા. આ ઘટનાના ઠીક ચાર કલાક બાદ એટલે કે રાતે 10 વાગ્યે 30 મિનિટ પર ભેડાઘાટની નજીક ભિટોનીમાં ગેસથી ભરેલી માલગાડીનું વેગન પાટા પરથી ઊતરી ગયું હતું. એક દિવસમાં બે મોટી રેલવે દુર્ઘટનાઓ બાદ રેલવે વિભાગમાં ફરી હડકંપ મચી ગયું. દુર્ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે માહિતી અનુસાર બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. સૂત્રો અનુસાર જોકે મેઈન લાઈન પર અન્ય ટ્રેનોની અવર-જવરને પણ કોઈ અસર થઇ નહોતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application