Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધરોઇ ડેમમાં પાણીની આવક વધતા બે ગેટ ખોલી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું

  • July 31, 2023 

ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદનાં કારણે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાંથી આજે બે ગેટ ખોલી નવ હજારથી વધુ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે. સંત સરોવર ભરાઈ જવાને કારણે તેમાંથી પાણી છોડવામાં આવતા ગાંધીનગર તાલુકાનાં ભાટ સુધીનાં ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીમાં નહીં ઉતારવા માટે તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે. નદીમાં હાલ ઊંડા ખાડામાં પાણી હોવાથી તે જોખમી હોવાનું પણ તંત્ર માની રહ્યું છે. ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાં આ વર્ષે પણ ઉપરવાસમાં સારા એવા વરસાદને કારણે પાણી આવ્યું છે. જેના કારણે ગાંધીનગરમાં સાબરમતી નદી ઉપર બનાવવામાં આવેલું સંત સરોવર છલોછલ ભરાઈ ગયું છે.



ધરોઈ ડેમમાંથી 9236 ક્યુસેક પાણી છોડવામાં આવતા તે મોડી રાત સુધીમાં ગાંધીનગર પહોંચી જશે. જેના પગલે હાલ ભરાઈ ગયેલા સંત સરોવરમાંથી બે દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે. હજી પણ ઉપરવાસમાંથી પાણીનો આવરો ચાલુ રહેતા સંસરોવરના વધુ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે. આ સ્થિતિને કારણે સાબરમતી નદીમાં પાણી આવવાથી ગાંધીનગર તાલુકાના ધોળેશ્વર, શાહપુર, વલાદ, કરાઈ, રાંદેસણ, રાયસણ, કોબા, નભોઈ, ભાટ અને કોટેશ્વર ગામના ગ્રામજનોને સાબરમતી નદીમાં નહીં ઉતરવા માટે તંત્ર દ્વારા તાકિદ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application