Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં અલગ અલગ બે અકસ્માતમાં બે બાઈક ચાલકના મોત, અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાયો

  • September 07, 2023 

ભરૂચનાં અંકલેશ્વરમાં અલગ અલગ બે અકસ્માતમાં બે બાઈક ચાલકના મોત નિપજ્યાં હતાં, જ્યારે એકને ગંભીર ઇજા થઇ હતી. પ્રથમ બનાવમાં હાંસોટ લલિત સાગર વિસ્તારમાં રહેતા બુધાભાઈ કાલિદાસ રાઠોડ પોતાની બાઈક લઈ અંક્લેશ્વર ગયાં હતાં. જ્યાં તેમનું કામ પુર્ણ થતાં તેઓ અંકલેશ્વરથી પરત હાંસોટ તરફ જઈ રહ્યા હતાં. તે સમયે નાંગલ પાટિયા પાસે બોલેરો ગાડીએ તેમને ટક્કર મારતા ગંભીર ઈજાને પગલે તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું.



જયારે બોલેરો ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. મૃતદેહને પી.એમ અર્થે ખસેડવા તેમજ ઈજાગ્રસ્ત ચાલાકને સારવાર અર્થે ખસેડવા માટે કવાયત શરૂ કરી હતી. તેમજ ઘટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. ઘટનામાં પ્રાથમિક વિગતો અનુસાર ચાલુ બોલેરો ગાડી નું ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ એ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બીજો બનાવ અંકલેશ્વર અંદાડા-કાસીયા માર્ગ પર બન્યો હતો. જેમાં સક્કરપોર ભાઠાના અક્ષય ઠાકોર વસાવા કાંસીયા ગામ ખાતે રહેતી પોતાની બહેનને ત્યાં જઈ રહ્યો હતો.



તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી ફરાર થઇ ગયો હતો. જેમાં બાઈક સાથે રોડ પર પટકાયેલા અક્ષય વસાવાનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા મૃતક ની બહેન તેમજ પરિજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પરિજનોના આક્રંદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો. તેમજ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application